વલસાડ : દબાણ મુદ્દે શાકભાજી માર્કેટના વેપારી અને પાલિકા કર્મચારીઓ વચ્ચે થયું ઘર્ષણ

New Update
વલસાડ : દબાણ મુદ્દે શાકભાજી માર્કેટના વેપારી અને પાલિકા કર્મચારીઓ વચ્ચે થયું ઘર્ષણ

વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે દબાણ હટાવવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. બનાવને પગલે વલસાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

વલસાડ પાલિકાના એંક્રોચમેન્ટ વિભાગના કર્મચારી પાલિકાના કેટલાક કામદારોને લઈ વલસાડ શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવા ગયા હતા. શાકભાજી માર્કેટના વેપારીઓને જાણ થતાં ઉશ્કેરાયેલા વેપારીઓએ જાહેરમાં દબાણ દૂર કરવાના નામે પૈસા ઉઘરાવવા આવેલ કર્મચારીઓનો ઉધળો લીધો હતો. વેપારીઓએ હોબાળો મચાવી માર્કેટમાંથી પાલિકાના કર્મચારીઓને ઉભી પૂંછડીએ ભાગવા માટે મજબૂર કરી દીધા હતા. બનાવની જાણ વલસાડ પોલીસને થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક માર્કેટ ખાતે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડ પાલિકા દ્વારા દબાણ ઝૂંબેશના વિરોધ સામે શાકભાજી માર્કેટના વેપારીઓ ભેગા મળી વલસાડ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં હોબાળો મચાવી રજુઆત કરી હતી. વલસાડ નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર સમયે રોજગારી મેળવતા નાના-મોટા વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. પાલિકા ચેમ્બરમાં વેપારીઓના ઘસી આવેલ ટોળાને શાંત પાડવા માટે એક સમયે પાલિકા પ્રમુખનો પરસેવો નીકળી ગયો હતો. જ્યારે આ બાબતે શાકભાજી માર્કેટના વેપારીઓ, પાલિકા માજી પ્રમુખ અને હાલના ચૂંટાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે, પાલિકાની આ ભૂલ છે. કારણ કે આ દબાણ દૂર કરવા માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે નગરપાલિકા દ્વારા બજારમાં વેપારીઓને જાણ થાય તે માટે અગાઉથી જ રીક્ષા ફેરવી જાણ કરી દબાણો દૂર કરવાના હોય છે. ત્યારે વેપારીઓને ધાક ધમકી આપી લૂંટ ચલાવી હેરાન કરવામાં આવી રહ્યા છે, જો આવનાર સમયમાં આ બાબતે વેપરીઓને ન્યાય ન મળે તો વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories