વાલિયાના ચંદેરીયા ખાતે ધરતી આંબા બીરસામુંડાની ૧૪૪મી જન્મ જયંતિ ઉજવાશે

New Update
વાલિયાના ચંદેરીયા ખાતે ધરતી આંબા બીરસામુંડાની ૧૪૪મી જન્મ જયંતિ ઉજવાશે

વાલિયા તાલુકાના ચંદેરીયા ખાતે બી.ટી.એસ.દ્વારા ધરતીઆંબા બિરસા મુંડાની ૧૪૪મી જન્મ જયંતી અને ભીલીસ્થાન ટાઈગર સેનાના પાંચમાં વર્ષના સ્થાપના દિવસ ,સંસ્કૃતિ અને આદિવાસી રીત રીવાજ પ્રમાણે ઓજારોની પૂજાવિધિ અને બિરસામુંડા ઓલ ઈન્ડિયા સ્પોર્ટસ એસોસીએશનનું લોકાર્પણ કાર્યક્રમ તા.૧૫/૧૧/૨૦૧૯ના રોજ યોજાશે.જેમાં ભારતભરના આદિવાસી સમાજના લાખો લોકો ઉમટી પડવાના હોય તેની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

વાલિયા તાલુકાના ચાંદેરીયા ખાતે આવેલ ભીલીસ્તાન વ્હાઈટ હાઉસ ખાતે આગામી તા.

૧૫મીના રોજ બિરસા મુંડાની ૧૪૪મી જન્મ જયંતી અને ભીલીસ્થાન ટાઈગર સેનાના પાંચમાં વર્ષના

સ્થાપના દિન નિમિતે ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. અંદાજીત એક લાખ ઉપરાંતની જનમેદની

એકથી થવાની હોવાથી ધારાસભ્ય છોટુ વસાવા અને ધારાસભ્ય મહેશ વસાવાના અધ્યક્ષતા હેઠળ

વ્હાઈટ હાઉસ ખાતે ગુજરાત તેમજ અન્ય રાજ્યોના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી.

જેમાં ઉપસ્થિત આગેવાનોને  બી.ટી.એસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યુ

હતું કે આદિવાસી સમાજના ધરતી આંબા બિરસા મુંડાની ૧૪૪મી જન્મ જયંતી આખો દેશ ઉજવી રહ્યો છે. તેમાં અમે પણ આ

રાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ એમની વિચારધારા આ આદિવાસીની પરંપરાગત સંસ્કૃતિ, સામાજિક અને તેમના જન્મ ઉત્સવના

દિવસે અમારા ઓજારો જે ખેતીકામ, પોતાની રોજી માટે અને રક્ષણ માટે ઉપયોગમાં વર્ષોથી લેવાય છે. તેની અમે પૂજા

વિધિ રાખેલ છે.આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં બી.ટી.એસ.નો સ્થાપના

દિવસ અને બિરસામુંડા ઓલ ઇન્ડિયા સ્પોર્ટસ એસોસીએશનનું લોકાર્પણ કરવામાં આવશે.

જેમાં શરદ યાદવ,છોટુભાઈ વસાવા અને અન્ય રાજ્યોમાંથી

મુખ્ય આમંત્રીત અતિથિઓ અને આદિવાસી સમાજ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેશે.

બિરસામુંડાને આદર્શ બનાવી યુવાનોમાં ખેલકુંદમાં પારંગત હોય તેવા યુવા

પ્રતિભાઓને દેશ દુનિયામાં ખેલકુંદમાં જવાનો મોકો મળે અને સમાજનું નામ ઊંચું આવે તે

મુખ્ય હેતુથી સ્પોર્ટસ એસોસીએશન સ્થાપવામાં આવ્યું છે.આ  બેઠકમાં દિલીપ વસાવા ,કિશોર વસાવા જિલ્લા

અને તાલુકાના હોદ્દેદારો અને ખુબ મોટીસંખ્યામાં બી.ટી.એસ.ના કાર્યકરો હાજર રહ્યા

હતા.

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.