17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના નીરના કરશે વધામણા 

New Update
17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના નીરના કરશે વધામણા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે કેવડીયામાં નર્મદા ડેમની મુલાકાતે આવી રહયાં છે. તેઓ સવારે સવારે 8 કલાકે કેવડિયા ખાતે આવશે અને 8 વાગ્યા થી 9.20 સુધી કેવડિયામાં બનનારા નવા પ્રોજેક્ટ્સ નું નિરીક્ષણ કરશે.

9-30 થી 9-50 વચ્ચે નર્મદા ડેમ ખાતે પહોંચી નર્મદના નીર ના વધામણાં કરશે. સવારે 10 થી 10.50 વાગ્યા સુધી તેઓ ગરૂડેશ્વરના દત્તમંદિર અને વિયર કમ કોઝવેની મુલાકાત કરશે. 11 વાગ્યે ડેમનાવ્યુ પોઇન્ટ ન-1 ના પાર્કિંગ પાસે જનસભાને સંબોધિત કરશે. આ દિવસે સ્ટેટ્યૂ ઓફ યુનિટી આમ જનતા માટે ખુલ્લું રહેશે પરંતુ નર્મદા ડેમ નો વ્યુ પોઇન્ટ બંધ રહેશે.

Latest Stories