પ્રયાગરાજ મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શહેર અને કુંભ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ ગંભીર બની ગઈ છે. વહીવટીતંત્ર ભીડને નિયંત્રિત કરવામાં અસમર્થ છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.રવિવારની રજા હોવાથી મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સંગમ તરફ જતા બધા રસ્તાઓ પર 10થી 15 કિમી લાંબો ટ્રાફિક જામ છે.
વારાણસી, લખનઉ, કાનપુર અને રેવાથી પ્રયાગરાજ સુધીના રૂટ પર વાહનો 25 કિમી સુધી લાઈનમાં દેખાઈ રહ્યા છે. સંગમમાં ડૂબકી લગાવવા જતા અને ત્યાંથી પાછા ફરતા ભક્તો ભીડ દૂર થવાની ભૂખ્યા અને તરસ્યા રાહ જોઈ રહ્યા છે.પ્રયાગરાજ જંકશન પર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવામાં આવી હતી. ભારે ભીડને કારણે પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ કરવું પડ્યું.