ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે માનવ અધિકારો” વિષયક જાગરૂકતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓકર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. 

ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 14 ડિસેમ્બર 2025ના રોજ માનવ અધિકારો” અંગે જનજાગરૂકતા ફેલાવવાના શુભ આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોલીસ હેડક્વાર્ટર ઇન્ચાર્જ ડીવાયએસપી ડો. અનિલ સિસારાએડવોકેટ અશ્વિની દેશમુખ તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રીમિલાબેન દ્વારા માનવ અધિકારોકાનૂની જોગવાઈઓ અને સમાજમાં તેની મહત્તા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વક્તાઓએ માનવ અધિકારોના સંરક્ષણ અને તેની જાગરૂકતા અંગે માહિતી આપી દરેક નાગરિકને પોતાના અધિકારો વિશે માહિતગાર રહેવા અપીલ કરી હતી. સમગ્ર સેમિનાર અંતે ઉપસ્થિતોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતાઅને કાર્યક્રમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓકર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.