રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો; છેલ્લા 24 કલાકમાં 1415 નવા કેસ નોંધાયા

New Update
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો; છેલ્લા 24 કલાકમાં 1415 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 1415 કેસ નોંધાયા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.

આજે સુરત કોર્પોરેશનમાં 349, અમદાવાદ કોર્પોરેશનમાં 335, અમદાવાદ 9, વડોદરા કોર્પોરેશનમાં 127, રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરતમાં 101, ભાવનગર કોર્પોરેશન -32, મહેસાણા 26, ખેડા-24, પંચમહાલ-20, વડોદાર 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન-18, સાબરકાંઠા 18, કચ્છ 17, રાજકોટ 17, ગાંધીનગર કોર્પોરેશન-15, નર્મદા 15, છોટા ઉદેપુર 14, આણંદ 12, દાહોદ 12, ગાંધીનગર 12, મહીસાગર 12, જુનાગઢ કોર્પોરેશનમાં 11, જામનગર 10, પાટણ 10, અમરેલી 9, બનાસકાંઠા અને મોરબીમાં 5-5 નવા કેસ નોંધાયા.

અત્યાર સુધીમાં કુલ 26,41,905 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,84,482 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,45,406  લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.