હાલના સમયમાં કોઈના કોઈ કારણો સર લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા હોય છે ત્યારે વધુ એક ઘટના ભરૂચ જિલ્લાના જંબુસરમાં બની છે જેમાં મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે મૃતક યુવક પ્રવીણ પરમારના આગામી તારીખ 19/02/2024 ના રોજ લગ્ન થવાના હતા હાલતો કાવી પોલીસે મૃતદેહનો કબજો લઈ લાશને જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..