અમદાવાદ : વ્યારાથી એટીએસએ ઝડપ્યાં 3 નકસલવાદી, જુઓ ગુજરાતમાં બન્યાં કેટલા સભ્યો ?

New Update
અમદાવાદ : વ્યારાથી એટીએસએ ઝડપ્યાં 3 નકસલવાદી, જુઓ ગુજરાતમાં બન્યાં કેટલા સભ્યો ?

ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે તાપી જિલ્લાના વ્યારામાંથી 3 નકસલવાદીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય લોકોએ અત્યાર સુધીમાં પથ્થલગડી મુવમેન્ટમાં 150થી વધુ લોકોને સભ્યો બનાવ્યાં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકસલવાદનો પગપેસારો થઇ રહયો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. એટીએસની ટીમે વ્યારામાંથી ત્રણ નકસલીઓની ધરપકડ કરી છે. તેમણે છેલ્લા કેટલાક સમયમાં 150થી વધુ આદિજાતિના લોકોને પથ્થલગડી મુવમેન્ટના સભ્ય બનાવી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આદિવાસીઓને કુદરતી સંપતિ પર માત્ર અને માત્ર તેમનો જ અધિકાર હોવાનું ઠસાવી તેમને સરકાર સામે હિંસક લડાઈ લડવા માટે ઉશ્કેરી સરકાર ઉથલાવવા સુધીના મનસુબા સાથે ચાલતી પથ્થલગડી મૂવમેન્ટના મુળ ગુજરાતમાં કેટલા ઉંડા છે તેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વસતા સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને ઉશ્કેરવાનું કામ આરોપીઓએ  હાથમાં લીધુ હતુ. સભ્યપદ માટે લોકો પાસેથી રૂ.900, 1000 અને 1200 જેટલી રકમ મેળવી પથ્થલગડી મુવમેન્ટ માટે ફંડ એકત્ર કરવામાં આવ્યુ હોવાની પણ માહિતી બહાર આવી છે. પથ્થલગડી પ્રથાથી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરનાર મૂળ ઝારખંડના બિરસા ઔરૈયા અને સામુ ઔરૈયા કાટસવમ ગામમાં છાપો મારીને ત્યાંથી બંનેની ધરપકડ કરી છે. તેઓને ઝારખંડથી કાટસવન ગામમાં આવ્યાંને  માત્ર ચાર મહિના થયા હતા. છતા ગામવાસીઓએ તેમને સ્વીકારી લીધા હતા. તેઓએ કહ્યું તેઓ મજુર છે. ગામમાં રહેવા દેશો તો સારૂં ખેતીમાં મજુરી કરીને પેટનો ખાડો પુરીશું. તેથી ગામલોકોએ તેમને રહેવા દીધા હતાં.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories