Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રથયાત્રા પૂર્વે પોલીસ એક્ષનમાં, 14 અસામાજિક તત્વોની કરવામાં આવી અટકાયત

રથયાત્રા દરમ્યાન કાયદો આને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે એ માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે

X

અમદાવાદમા રથયાત્રા દરમ્યાન કાયદો આને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે એ માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં 14 અસામાજિક તત્વોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ અત્યારથી જ કામે લાગી ગઈ છે રથયાત્રામાં શાંતિ જળવાઈ રહે તે માટે ઝોન 5 પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરાયું હતું જેમાં ઝોન 5માં આવેલ પોલીસ સ્ટેશનની કુલ 13 ટીમ બનાવીને વિસ્તારમાં તડીપાર અસામાજિક તત્વોને પકડવાની કામગીરી હાથ ધરવામા આવી હતી જેમાં કુલ 14 આરોપીને આજે વહેલી સવારે ઊંઘતા જ ઝડપી પાડવામાં આવ્યા હતા જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે

Next Story