અમદાવાદ : ઓઢાવના વિરાટનગરમાં એકજ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા, હત્યારો પોલીસ સકંજામાં

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેની સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી ખળભળાટ

New Update
અમદાવાદ : ઓઢાવના વિરાટનગરમાં એકજ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા, હત્યારો પોલીસ સકંજામાં

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેની સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાર દિવસ અગાઉ આ પરિવારને હત્યા કરાઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. બીજી તરફ મૃતકમાં બે બાળકો પણ હોવાનું હાલ સામે આવી રહી છે. ઘરના અલગ અલગ રૂમ માંથી ચાર લાશ મળી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચાર દિવસ પહેલા થયેલી હત્યામાં આજે મૃતદેહ બહાર આવતા અત્યંત દુર્ગંધ મારી રહી છે. બીજી તરફ હાલ આ હત્યા પાછળ ઘર કંકાસ જોવાનું પ્રાથમિક તારણ પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં સામુહિક હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોએ ચાર સભ્યોને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારાયા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જે ચાર લોકોની લાશ મળી છે તે સોનલ મરાઠી, પ્રગતિ મરાઠી, ગણેશ મરાઠી, સુભદ્રા મરાઠી આ ચાર લોકોની હત્યા કરવામાં આવી છે. હત્યાની શંકા વિનોદ મરાઠી છે. જે ઘરનો મોભી છે. પહેલા તીક્ષ્ણ હથિયાર ઝીંકાયા બાદ હતભાગી બેભાન થયા હશે અને એ જ સ્થિતિમાં તેમની હત્યા થઈ હોવાની શક્યતા છે. હત્યા બાદ શંકાસ્પદ વિનોદ મરાઠી નાસી છૂટ્યો છે. આ તમામ લોકો થોડા દિવસ પહેલાજ આ મકાનમાં રહેવા આવ્યા હતા.

Latest Stories