અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.

New Update
અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોચાડતું કૃત્યુ અમદાવાદમાંથી સામે આવ્યું છે. શહેરના ઈસનપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી ગયું હોય અથવા લઈ જતાં પડી ગયું હોય, તેવી શંકા આસપાસના સ્થાનિકો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે મહાદેવના મંદિરની બહાર કતલ કરેલું ગૌવંશ મળી આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બનાવના પગલે આ વિસ્તારમાં દુકાનો બંધ થઈ ગઈ હતી, તો બીજી તરફ આરોપી પણ CCTV કેમેરામાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

જોકે, ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું. જેના કારણે સ્થાનિક પોલીસ સહિત આસપાસની પોલીસને પણ ઈસનપુર બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આ કૃત્ય જેણે પણ કર્યું હશે તેને વહેલી તકે ઝડપી લેવામાં આવશે. તો બીજી તરફ ઈસનપુર વિસ્તારમાંથી જે સ્થળે ઘટના બની હતી, ત્યાં સ્થાનિકોએ રામધૂન બોલાવી હતી.

Read the Next Article

અમદાવાદ : રૂ. 15 લાખના 11 વિદેશી પોપટની ચોરી કરનાર શખ્સ ઝડપાયો, અન્ય 2 લોકોની શોધખોળ...

સામાન્ય રીતે પૈસા, ચીજ-વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો..

New Update
  • શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો

  • 15 લાખની કિંમતના વિદેશી પોપટની થઈ હતી ચોરી

  • વિદેશી પોપટની ચોરી મામલે એક શખ્સની ધરપકડ

  • ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા

  • તસ્કરોએ છેલ્લા 15 દિવસથી કરી હતી રેકી : પોલીસ

અમદાવાદ શહેરમાંથી રૂ. 15 લાખની કિંમતના વિદેશી પોપટની ચોરી મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છેજ્યારે ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સામાન્ય રીતે પૈસાચીજ-વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તા. 8 જુલાઇના રોજ પાલતુ પશુ-પક્ષીની દુકાનના તાળા તોડીને રૂ. 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટ અને અન્ય વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય હતી. આ પક્ષીઓમાં એક-એક પક્ષીની કિંમત રૂ. 1.50 લાખથી લઈને 3.20 લાખ જેટલી થાય છે.

જેમાં ઓસ્ટ્રેલિયન પોપટમકાઉ પોપટઆફ્રિકન ગ્રે પોપટએટલેટસ પોપટબ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પોપટમોલુટન કાકાટીલટુ પોપટ સહિતના પોપટની ચોરી થઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતીત્યારે અમદાવાદ ગ્રામ્યLCB પોલીસ દ્વારા એક તસ્કરની અટકાયત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆરોપી છેલ્લા 15 દિવસથી ચોરી કરવાની જગ્યા પર રેકી કરતો હતો. દુકાનમાંCCTV હોવાથી કેમેરાની સ્વીચ બંધ કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીંચોરી કર્યા બાદ કારમાં પોપટને ચોક્કસ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 દિવસે પોપટને બહાર કાઢ્યા હતા. ચોરીના ગુન્હામાં 3 આરોપી હતા. જેમાંથી આરોપી વિશાલની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ અગાઉ પણ બકરા ચોરીના કેસમાં પકડાયેલ છે. જોકેદિવાળી બાદ તેના લગ્ન હોવાથી પૈસાની જરૂર હતીજેથી ચોરીનો પ્લાન બનાવ્યો હતોતારે હાલ તો અન્ય 2 ફરાર આરોપીની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.