Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નારણપુરાની મોદી આઇ કેર હોસ્પિટલમાં આગ ફાટી નિકળી, પતિ-પત્ની

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવમાં હોસ્પિટલમાં કામ કરી રહેલા પતિ-પત્નીના ગૂંગળામળના કારણે મોત નિપજ્યાં હતા

X

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવમાં હોસ્પિટલમાં કામ કરી રહેલા પતિ-પત્નીના ગૂંગળામળના કારણે મોત નિપજ્યાં હતા

અમદાવાદની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ કરૂણ દુર્ઘટનામાં પતિ-પત્નીનું મોત નીપજયું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી.આગ લાગવાની ધટનામાં ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનાર પતિ-પત્નીના મોત થયાં છે. મૂળ રાજસ્થાન પ્રતાપગઢ જિલ્લા ધરીયાવાદ ગામના રહેવાસી નરેશ પારઘી અને તેમના પત્ની હર્ષાબેન પારઘીનું ગૂંગળામણથી મોત થયું હતું. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદ ફાયર બ્રિગેડના કહેવા મુજબ 4 માળની બિલ્ડિંગ છે. આગ કયા કારણોસર લાગી તે હજી જાણકારી મળી નથી એફએસએલ તપાસ બાદ ખ્યાલ આવશે

Next Story