અમદાવાદ : વ્યાજખોરોના ચુંગાલમાંથી શ્રમજીવી પરિવારોને છુટકારો અપાવવા લોન મેળો યોજાયો…
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk11 Feb 2023 1:13 PM GMT
X
Connect Gujarat Desk11 Feb 2023 1:13 PM GMT
અમદાવાદ શહેરના વસ્ત્રાલ સ્થિત આઈ’ ડિવિઝન વિસ્તારમાં AMC ઓડિટોરિયમ ખાતે શ્રમજીવી પરિવારો માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી છુટકારો અપાવવા 5 પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર અને UCDના અધિકારીઓએ શ્રમજીવી પરિવારોને લોન માટે જરૂરી પુરાવાઓ મેળવ્યા હતા. આ સાથે જ સરકારની યોજના મુજબ બેન્ક અધિકારીઓને સાથે રાખીને લોન મેળાનું આયોજન કર્યું હતું, જ્યાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
Next Story