અમદાવાદ: પેપર લીકકાંડ મામલે AAPના ભાજપ પર આકરા પ્રહાર, દરેક ઉમેદવારોને રૂ.50 હજારનું વળતર આપવાની માંગ

પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

New Update
અમદાવાદ: પેપર લીકકાંડ મામલે AAPના ભાજપ પર આકરા પ્રહાર, દરેક ઉમેદવારોને રૂ.50 હજારનું વળતર આપવાની માંગ

પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

Advertisment W3.CSS

ગુજરાતમાં પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમનાં માતા-પિતા ફરી ભરોસો કરીને 99થી વધારે 156 સીટો આપી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરૂ કરી દીધું! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું. આજે પંચાયતની પરીક્ષા રદ થતા અનેક ઉમેદવારના સપનાં રોળાયા છે ત્યારે ગુજરાતભરના લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર લીક કરનારાએ ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહેલા અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસકો પડ્યો હતો.તો દૂર દૂરથી કેન્દ્ર પર પહોંચેલા પરીક્ષાર્થીઓને ધક્કો ખાવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારે દરેક ઉમેદવારને રૂ.૫૦ હજાર વળતર આપવું જોઈએ એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories