અમદાવાદ : 31stની ઉજવણી પહેલાં જ દારૂડિયાઓએ કરી મોજ, પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 351 નોંધ્યા.

રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ અજગરી ભરડો લઈ રહ્યું છે. સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થવા માંડ્યો છે

New Update
અમદાવાદ : 31stની ઉજવણી પહેલાં જ દારૂડિયાઓએ કરી મોજ, પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 351 નોંધ્યા.

રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ અજગરી ભરડો લઈ રહ્યું છે. સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થવા માંડ્યો છે, ત્યારે રસ્તા પર બેદરકાર થઈને ફરતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા 5 દિવસમાં પોલીસ દ્વારા 2317 લોકોને જાહેરનામા ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તો બીજી તરફ 31 ડિસેમ્બર પહેલાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ 351 જેટલા કેસ નોંધ્યા છે.

અમદાવાદ શહેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ તેમજ માસ્ક વિના ફરતા લોકોને ઝડપી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 5 દિવસમાં પોલીસે રૂપિયા 27.17 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. તો બીજી તરફ 31 ડિસેમ્બર પહેલાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ 351 જેટલા કેસ નોંધ્યા છે. નવા વર્ષ પહેલાં જ ગુનાખોરી પર કંટ્રોલ કરવા અને અકસ્માતના બનાવો રોકવા માટે પોલીસે 8 દિવસ માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવાની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે છેલ્લા 5 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 351 કેસ નોંધી નશાખોરો પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ મેગા ડ્રાઈવ તા. 25 ડિસેમ્બરથી શરૂ થઈ છે, જે તા. 1 જાન્યુઆરી, 2022 સુધી ચાલશે. આ ડ્રાઈવના 5 દિવસ દરમ્યાન શહેર કમિશનરેટમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ 69 કેસ ટ્રાફિક પોલીસે તેમજ ઝોન-6ના પોલીસ સ્ટેશનોએ 62 જેટલા કેસ નોંધ્યા છે. આ પ્રકારની ડ્રાઈવ યોજીને બેફામ બનેલા તત્વો પર અંકુશ મુકવા પોલીસે પ્રયાસ કર્યો છે.

Read the Next Article

અમદાવાદ 148મી રથયાત્રામાં હાથી ભડકતા મચી હતી અફરાતફરી,ઉશ્કેરાયેલા ગજરાજની મદદે આવ્યું વનતારા

વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ સ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી

New Update
vantara

અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી.આ ટીમમાં બે વન્યજીવ પશુ ચિકિત્સકોછ વરિષ્ઠ મહાવતોતાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતોજે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી,જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા હતાજેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરીવર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

"રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો.તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી," તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. "વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી," તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છેજે 998 એકરમાં ફેલાયેલું છેતેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધમાનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસભીખ માંગવાપર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છેજેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે.

તેની સુવિધાઓમાં હાઈડ્રોથેરાપી પૂલકુદરતી તળાવોકાદવના ઢગલાપાણીના ફુવારારેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે .જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃપ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે.જેમાં પશુચિકિત્સકોજીવ વિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિકકરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.