અમદાવાદ : દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર, ચાઇનીઝ નાગરિક સહિત 3 ની ધરપકડ

અમદાવાદ પોલીસે ચાઇનીઝ નાગરિક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઉપર ભારતમાં ચાઇનીઝ શેલ કંપનીઓ ખોલી ટેકસ ચોરી કરી દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો આરોપ છે.

New Update
અમદાવાદ : દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર, ચાઇનીઝ નાગરિક સહિત 3 ની ધરપકડ

અમદાવાદ પોલીસે ચાઇનીઝ નાગરિક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઉપર ભારતમાં ચાઇનીઝ શેલ કંપનીઓ ખોલી ટેકસ ચોરી કરી દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો આરોપ છે.

અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા અલગ અલગ ફરીયાદો નોંધાવવામાં આવી.. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આયોજનબદ્ધ રીતે કેટલાક ચાર્ટડ એકાઉટન્ટ તેમજ અન્ય મળતીયાઓ કાવતરૂ રચી ચાઇનીઝ શેલ કંપનીઓ ઉભી કરી છે. જેમાં પ્રથમ ડમી ભારતીય ડિરેકટરો બનાવી રચના કરી પાછળથી તેનું રાજીનામું લઇ ફકત ચાઇનીઝ ડિરેકટરોના હવાલે કંપની કરી દેવામાં આવતી હતી. ચાઇનીઝ ડીરેકટરો કંપનીમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાકીય વ્યવહારોના ખોટા હિસાબો રજુ કરી ભારત સરકારને ટેકસ આપતાં ન હતાં. આ રીતે ટેકસ નહિ ચુકવી દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું..અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે એક ચાઈનીઝ નાગરિક સહીત 3 લોકોની ધરપકડ કરી છે.

Read the Next Article

“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય

ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...

New Update
  • ગુજરાત રાજ્ય માટે અસરકારક સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ

  • પોલીસનાતેરા તુઝકો અર્પણ” અભિયાનને સાંપડ્યો પ્રતિસાદ

  • સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવામાં સરળતા

  • અનેક ભોગ બનનારને ઉકેલ મેળવવા મદદરૂપ થયું છે પોર્ટલ

  • સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ :DGP વિકાસ સહાય

સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલતેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છેત્યારે ગુજરાત પોલીસનીતેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલએટલે કેતેરા તુઝકો અર્પણ" અભિયાન શરૂ કર્યું છે. જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ જણાવ્યુ હતું કેઆ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

જોકેઆ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છેત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉપરાંતહેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પોર્ટલની ખાસિયત એ છે કેતે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે. જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી તબીબ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતાત્યારે સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં જ તેમના પૈસા પરત મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેહજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. તેવામાં સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીંપણ ભરોસાની નવી ચાવી છે.