અમદાવાદ : AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..!

અમદાવાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના આસિસ્ટન્ટ TDO અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

New Update

અમદાવાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના આસિસ્ટન્ટ TDO અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ TDOએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જે પેટે અરજદારે આરોપીને રૂપિયા 20 લાખ આપ્યા હતા. જેમાં આરોપી હર્ષદ ભોજક અને આશિષ પટેલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં આ કામના ફરિયાદીની વડીલો પાર્જીત જમીનમાં મકાનો અને દુકાનો હતી. જે અમદાવાદ મનપા દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો અને દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, AMCની કચેરીએ જઇ જરૂરી પુરાવા રજૂ કરશોતો AMC તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. જેથી ફરિયાદી ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલને મળ્યા હતાજ્યાં તેઓને AMCમાં આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. જેથી હર્ષદ ભોજકે ફરિયાદીનું કામ કરી આપવા માટે રૂપિયા 50 લાખની લાંચ માંગી હતીજ્યારે આશિષને રૂપિયા 10 લાખ આપવાની વાત થઈ હતી. જોકેરકઝકના અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેઓએ ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ACBની ટીમે આશ્રમ રોડ પર ચીનુભાઈ ટાવર સામે આવેલ અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતુંજ્યાં હર્ષદ ભોજક ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. હાલ તો ACBએ બન્ને લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.