અમદાવાદ: “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,જુઓ શું છે વિશેષતા

CM ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.

New Update
અમદાવાદ: “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,જુઓ શું છે વિશેષતા

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું.અમદાવાદના બાકરોલ નજીક આવેલા સરદાર પટેલ પેટ્રોલ સ્ટેશન પર નિર્માણ પામેલા આ મ્યુઝીયમમાં અત્યાધુનિક લાઈટ અને સેટ અપ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ સહિતના રાષ્ટ્રનાયકોની યશગાથા પ્રદર્શિત કરવામાં આવી છે. 'આઝાદી કી યાદે' થીમ સાથે નિર્માણ પામેલા મ્યુઝિયમ થકી દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે.આ મ્યુઝીયમમાં ભારતે કૃષિ, વિજ્ઞાન સહિતના ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે. આઝાદીની લડાઈમાં મહિલાઓના યોગદાનની પણ નોંધ લેવામાં આવી છે. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.