અમદાવાદ: ભાજપની જન આશીર્વાદ યાત્રા જન અપમાન યાત્રા: આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના ભાજપ સરકાર પર પ્રહાર, જન આશીર્વાદ યાત્રા બાબતે કરાયા પ્રહાર

New Update
અમદાવાદ: ભાજપની જન આશીર્વાદ યાત્રા જન અપમાન યાત્રા: આમ આદમી પાર્ટી

ભાજપ દ્વારા રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા કાદવમાં આવી છે જેને આમ આદમી પાર્ટીએ જન અપમાન યાત્રા ગણાવી છે. આપના નેતા ઈશુદાન ગઢવીએ આ બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા ચાલી રહી છે સૌરાષ્ટ્ર બાદ હવે યાત્રા માધ્ય ગુજરાત પોહચી છે તો ભાજપના અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ જન આશીર્વાદ યાત્રા કાઢ્યા રહયા છે ત્યારે હવે બન્ને પાર્ટી વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરુ થયો છે. આપ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપની જન આશીર્વાદ યાત્રાને જન અપમાન યાત્રા ગણાવી છે.

આપ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે થોડા સમય પહેલા જ કોરોનાની બીજી લહેર આવી ત્યારે તેના માટે ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું ન હતું. આગોતરા આયોજનના અભાવે જનતાની હાલત એટલી બધી હદે ખરાબ થઇ કે કોરોનાગ્રસ્ત લોકો હોસ્પીટલમાં એડમીટ થવા માટે વલખા મારતા હતા. એમ્બુલન્સની મોટી-મોટી લાઈન લાગી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ ગામડે ગામડે જઈને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના જે આંકડા સરકાર છુપાવ્યા છે તેની સાચી માહિતી બહાર લાવવી, દુઃખી પરિવારને સંવેદનાના પાઠવવી અને તેમના પરિવાર માટે યોગ્ય વળતરની માગણી કરવાના હેતુથી AAP દ્વારા "જન સંવેદના મુલાકાત" કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આ જન સંવેદના મુલાકાત કાર્યક્રમને લોકોનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે અને લોકો જે રીતે આ હકારાત્મક પગલાને આવકાર્યું તેનાથી ભાજપે ડરીને પોતાના તરફના જનતાના ગુસ્સાને ડામવા અને પોતાની રાજનૈતિક હેતુને સિદ્ધ કરવા પાંચ કેન્દ્રીય મંત્રીના નેતૃત્વમાં "જન આશીર્વાદ યાત્રા" નું આયોજન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.