અમદાવાદ: કારમાં આખી રાતબેસી કોલ સેન્ટર ચલાવતા સાળા-બનેવીની ધરપકડ,જુઓ કેવી રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી, કારમાં બેસી ચાલવાતું હતું કોલ સેન્ટર, સાળા બનેવીની પોલીસે કરી ધરપકડ

New Update
અમદાવાદ: કારમાં આખી રાતબેસી કોલ સેન્ટર ચલાવતા સાળા-બનેવીની ધરપકડ,જુઓ કેવી રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી

અમદાવાદ શહેરમાં કોલ સેન્ટર પર પોલીસે લાલ આંખ કરતા કોલ સેન્ટરના સંચાલકો નવા નવા કીમિયા અપનાવી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા વધુ એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ ગાડીમાં બેસી લેપટોપ અને મોબાઈલની મદદથી આખું કોલ સેન્ટર ચાલવતા હતા.આ કૌભાંડમાં આરોપી ધવલ ખેતીયા તથા પુરવ પંચાલ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓ નાગરિકોને CASH USA નામની લોન આપનાર કંપનીમાંથી વાત કરે છે તેમ કહીને અમેરિકન નાગરિકો પાસેથી લોન પ્રોસેસિંગના બહાને રૂપિયા પડાવતા હતા.આ બન્ને આરોપી સાળા અને બનેવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ આરોપી અગાઉ લીગલ કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા બાદમાં ઇન્ટરનેટ મારફતે ગેરકાયદેસર કોલ સેન્ટર બાબતે માહિતી મેળવી આ પ્રકારનું કૌભાંડ આચારતા હોવાનો ખુલાસો થયો છે

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.