અમદાવાદ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉજવણી, આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું ધ્વજવંદન

74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો

New Update
અમદાવાદ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉજવણી, આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું ધ્વજવંદન

74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પરેડને નિહાળી હતી. જેમાં 10 જેટલા પ્લાટુન દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં ઘોડે સવાર તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા પણ વિશેષ ભાગ લેવામાં આવ્યો હતો. આ સાથે જ ટ્રાફિકના જવાનો દ્વારા પણ પરેડ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને આરોગ્ય મંત્રીના હસ્તે મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશનર, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.