અમદાવાદ : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની CMની ઉપસ્થિતિમાં ઉજવણી, 18000 ગામડાઓ પ્લાસ્ટિક મુક્ત કરવા પ્રયત્નો

આજે 50માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા હાલમાં ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે

New Update
અમદાવાદ : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની CMની ઉપસ્થિતિમાં ઉજવણી, 18000 ગામડાઓ પ્લાસ્ટિક મુક્ત કરવા પ્રયત્નો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


આજે 50માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા હાલમાં ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે.ત્યારે અમદાવાદનાં યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.15 લાખ વૃક્ષો આજના દિવસે ઉગાડવા જય રહ્યા છે.

જેમાં અમદાવાદ મેયરનો મહત્વપૂર્ણ ફાળો છે.ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર 4000 વૃક્ષની વાવણી કરાય છે. મુખ્યમંત્રી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોએ પર્યાવરણ બચાવવાની શપથ લીધી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામગ્રી નો ઉપયોગ ન કરવો. હું પાણીની બચત કરીશ.જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે આપણે લોકો કેટલા ગરીબ છીએ તેનું હું ઉદાહરણ આપું જેમાં આપણી પાસે માત્ર નાણાં છે. છતાં પર્યાવરણ માટે પ્રયત્નો ઓછા કરીએ છીએ.

એટલે જેટલા નાણાંની જરૂર છે લોકોને એટલી જ જરૂર પર્યાવરણની પણ છે. ગુજરાતના 18000 ગામડાઓ પ્લાસ્ટિક મુક્ત કરીએ છીએ.200 જેટલા ઉદ્યોગો પર્યાવરણ અંતર્ગત આવરી લેવાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્યોગ કંપની કેમિકલ પાણી છોડવામાં આવે છે જેથી પાણી ન છોડવા ઉદ્યોગ જગતના આગેવાનોને અપીલ કરી છે. પર્યાવરણ ને બચાવવું છે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે માહિતી આપી હતી. કુદરતના નિયમો જે બનેલા છે એવા નિયમો ફોલો કરી અમારી સાથે સકડાઓ જેથી અમે તમારી સાથે ચાલી પર્યાવરણને બચાવી શકીશું

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise