અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોપર્ટી એક્સ્પોનો સમાપન સમારોહ યોજાયો...

શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું

New Update
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોપર્ટી એક્સ્પોનો સમાપન સમારોહ યોજાયો...

અમદાવાદ શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકના "ઘરનું ઘર" સપનું સાકાર કરવામાં સહયોગ આપી બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે હેપીનેસ ઈન્ડેક્સ વધારવામાં અગત્યની ભૂમિકા ભજવી શકાય છે.

અમદાવાદ શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ પ્રોપર્ટી એક્સ્પો યોજાયો હતો. રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તેમની પડતર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતોને તે અંગેનું મોડલ પૂરું પાડી શકે તેમ છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન વેગવાન બન્યું છે, ત્યારે આપણે સૌ તે મહાયજ્ઞમાં જોડાય સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ તે ખૂબ જરૂરી છે.

સાથે જ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓને બાંધકામ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમથી વિચારશે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. આ અવસરે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, "ઓછું બોલવું અને કામ વધુ કરવું" એ ગુજરાત સરકારની વિશેષતા છે. અમદાવાદ રાજ્યનું આર્થિક હબ છે, ત્યારે બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલ 80 હજારથી વધુ નાગરિકોએ પ્રોપર્ટી એક્સ્પો ભાગ લીધો હતો.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.