અમદાવાદ : દ્રારકાધીશના સાનિધ્યમાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી રહેશે હાજર

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.

New Update
અમદાવાદ : દ્રારકાધીશના સાનિધ્યમાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી રહેશે હાજર

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. દ્વારકામાં તારીખ 25મીથી ચિંતન શિબિરનો પ્રારંભ થશે અને તેમાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે. ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાનીમાં આ પહેલી ચિંતન શિબિર છે. 2017માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે 80 બેઠકો મેળવી હતી પણ એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઇ રહયાં છે. કોંગ્રેસ પાસે માત્ર 65 જેટલા ધારાસભ્યો બચ્યાં છે.

ગુજરાતમાં હવે વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન ધારાસભ્યોને સાચવવાનો છે. કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તુટે તેવી થઇ ગઇ છે તેવામાં બદલાયેલું નેતૃત્વ કેટલું કારગત નીવડે છે તે જોવું રહયું. દ્વારકા ખાતે આયોજીત ચિંતન શિબિરમાં આગેવાનો અને હોદ્દેદારો તથા ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.