અમદાવાદ:ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી સર્જાયો વિવાદ,ડોકટરો ભૂગર્ભમાં ઉતરી ગયા

હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કર્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો

New Update
  • અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોતનો મામલો

  • જાણ કર્યા વગર  એન્જીયોગ્રાફી  કરવામાં આવી હોવાના આક્ષેપ

  • જરૂરી ન હોવા છતાં 19 દર્દીઓની કરાઈ એન્જીયોગ્રાફી

  • પરિવારજનોએ ડોકટરો પર લગાવ્યા ગંભીર આક્ષેપ

  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીએ હોસ્પિટલની લીધી મુલાકાત

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ બે દર્દીના મોતના મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.જેમાં મૃતકના સગાઓએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત હોસ્પિટલમાં જાણ વિના 19 લોકોની  એન્જીયોગ્રાફી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી હોસ્પિટલની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે,જાણવા મળ્યા મુજબ તારીખ 10 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પ આયોજન બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.જ્યારે સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બોરીસણા ગામ માંથી ઘણા લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પરંતુતેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જીયોગ્રાફી કરી દેવામાં આવી હતી. જ્યારે મૃતકોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે. પરંતુ તેમ છતાં તેમના પરિવાર માંથી કોઈને જાણ ન કરવામાં આવી ન હતી.

હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું.જેમને કોઈપણ પ્રકારની તકલીફ ન હતી તેમને પણ એન્જીયોગ્રાફી કરી દેવાઈ છે. તેમજ મૃતકના આયુષ્માન કાર્ડ માંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે અન્ય પાંચ દર્દીઓ હાલICUમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એક્શન મોડમાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.જ્યારે દર્દીઓના પરિવારજનોએ પણ હોસ્પિટલની આર્થિક લાલસા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,અને હોસ્પિટલમાં ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ પણ કરી હતી.

Read the Next Article

“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય

ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...

New Update
  • ગુજરાત રાજ્ય માટે અસરકારક સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ

  • પોલીસનાતેરા તુઝકો અર્પણ” અભિયાનને સાંપડ્યો પ્રતિસાદ

  • સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવામાં સરળતા

  • અનેક ભોગ બનનારને ઉકેલ મેળવવા મદદરૂપ થયું છે પોર્ટલ

  • સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ :DGP વિકાસ સહાય

સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલતેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છેત્યારે ગુજરાત પોલીસનીતેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલએટલે કેતેરા તુઝકો અર્પણ" અભિયાન શરૂ કર્યું છે. જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ જણાવ્યુ હતું કેઆ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

જોકેઆ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છેત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉપરાંતહેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પોર્ટલની ખાસિયત એ છે કેતે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે. જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી તબીબ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતાત્યારે સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં જ તેમના પૈસા પરત મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેહજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. તેવામાં સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીંપણ ભરોસાની નવી ચાવી છે.