અમદાવાદ : નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના પડઘા હવે રાજ્યભરમાં પડ્યા, પોલીસ બની સતર્ક

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી પડઘા હવે રાજ્યભરમાં પડી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં અચાનક વિરોધ પ્રદર્શન થતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે

New Update
અમદાવાદ : નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના પડઘા હવે રાજ્યભરમાં પડ્યા, પોલીસ બની સતર્ક

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી પડઘા હવે રાજ્યભરમાં પડી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં અચાનક વિરોધ પ્રદર્શન થતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને પોઇન્ટ મૂકવામાં આવ્યા છે.

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના વિરોધમાં અમદાવાદના લાલ દરવાજા ખાનપુર અને મીરઝાપુર વિસ્તારમાં બપોરની નમાજ પછી મુસ્લિમ બિરાદરોએ રેલી કાઢી વિરોધ કર્યો હતો. થોડી જ ક્ષણોમાં શહેરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ બાબતે પોલીસને મેસેજ મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આગેવાનો સાથે બેઠક કરી ટોળાને પરત મોકલ્યા હતા.

અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ટીમો અને એસ.આર.પી જવાનો તૈનાત કરવામાં આવી છે. તો સ્થાનિક પોલીસ અધિકારીઓને હેડ ક્વાર્ટરના છોડવા પણ આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા સોશિયલ મીડિયાના ફેલાવે અને જો કોઈ આવી હરકત કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં કોઈ પણ ઘટના માટે પોલીસ તંત્ર સજ્જ છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.