અમદાવાદ : ઊંટ ગાડી સાથે રેલી યોજી ખેડૂતો પહોચ્યા ધંધુકા APMC, જાણો અનોખા વિરોધનું કારણ..!

ધંધુકા APMCમાં અધિકારીઓની મુદ્દત થઈ છે પૂર્ણ કિસાન ક્રાંતિ મંચ સહિત ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

New Update
અમદાવાદ : ઊંટ ગાડી સાથે રેલી યોજી ખેડૂતો પહોચ્યા ધંધુકા APMC, જાણો અનોખા વિરોધનું કારણ..!

અમદાવાદ જિલ્લાના ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ કચેરીનો કારભાળ તેમજ ખોટા ખર્ચના ગંભીર આક્ષેપો સાથે કિસાન ક્રાંતિ મંચ સહિત ખેડૂત આગેવાનોએ ઊંટ ગાડી સાથે રેલી યોજી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન ક્રાંતિ મંચના હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં 300 ઉપરાંત ખેડૂતો ઊંટ ગાડીમાં ખાલી ડબ્બા સાથે અનોખી રેલી યોજી હતી. આ રેલી સૂત્રોચ્ચાર સાથે ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી, જ્યાં માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થયા બાદ પણ તેઓ વહીવટ કરતા હોવાથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ઓફીસના બારણે "ખુરશી છોડો, ખેડૂત આવે છે"નું બેનર લગાવી APMCના ચેરમેનને 2 કલાક માટે અંદર પુરી કચેરીનો ઘેરાવો કર્યો હતો.

જોકે, હાઇકોર્ટેનો સ્ટે હોવા છતાં ધંધુકા APMC ખાતે જૂના પદાધિકારીઓ ઓફીસનો ઉપયોગ કરતા અને ખોટા ખર્ચને લઈ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત રામધૂન બોલાવી હતી. સમગ્ર મામલે APMCના ચેરમેન સહદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મને હજુ સુધી કોઈ ચાર્જ છોડવા માટેનો આદેશ આવ્યો નથી, ત્યારે સમગ્ર મામલે ખેડૂત આગેવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આગામી સમયમાં એપીએમસી સત્તા મામલે હજુ પણ મામલો ઉગ્ર બને તેવા એંધાણ, ત્યારે APMC સેક્રેટરી દ્વારા આગામી 8 દિવસમાં યોગ્ય નિર્ણયની ખાત્રી આપી હતી. જોકે, પોલીસની દરમ્યાનગીરી બાદ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પૂર્ણ કર્યું હતું.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.