અમદાવાદ : 10 લાખથી વધુ ફૂલ અને 30થી વધુ સ્કલ્પચર સાથેના ફ્લાવર શો-2025ને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો...

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

New Update
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2025નું સુંદર આયોજન કરાયું

  • 10 લાખ ફૂલ50થી વધુ પ્રજાતીના 30થી વધુ સ્કલ્પચર

  • ફ્લાવર શો-2025 નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2025 આ વખતે 6 ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ50થી વધુ પ્રજાતી તેમજ 30થી વધુ સ્કલ્પચર મુકવામાં આવ્યા છેત્યારે મુખ્યમંત્રીએ આ ફ્લાવર શો નિહાળ્યો હતોઅને અલગ અલગ સ્કલપચર સાથે ફોટો પણ પડાવ્યા હતા. એટલું જ નહીંફ્લાવર શોના ઉદ્ઘાટનની સાથે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી-મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

અહી સામાન્ય દિવસોમાં સવારના 10થી રાતના 10 સુધીના ટિકિટના ભાવ 70 રૂપિયા રાખવામાં આવ્યા છેજ્યારે શનિ-રવિના રજાના દિવસોમાં આ ટિકિટનો ભાવ 100 રૂપિયા રહેશે. તે ઉપરાંત VIP એટલે કેભીડભાડ વગર છુટથી ફ્લાવર શોની મજા માણવી હશેતો આ વર્ષે VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કેસવારે 9થી 10 અને રાત્રે 10થી 11 આ સમય દરમિયાન ફ્લાવર શોને ભીડ વગર નીહાળી શકાશેપરંતુ તે માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે. ફ્લાવર શો-2025ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલઅમદાવાદના મેયર પ્રતિભા જૈનડેપ્યુટી મેયર જતીન પટેલધારાસભ્ય દર્શના વાઘેલાઅમિત શાહઅમિત ઠાકરકૌશિક જૈનદિનેશ કુશવાહજીતુ ભગતસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીશાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિમ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન સહિત મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.