અમદાવાદ : 10 લાખથી વધુ ફૂલ અને 30થી વધુ સ્કલ્પચર સાથેના ફ્લાવર શો-2025ને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો...

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

New Update
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2025નું સુંદર આયોજન કરાયું

  • 10 લાખ ફૂલ50થી વધુ પ્રજાતીના 30થી વધુ સ્કલ્પચર

  • ફ્લાવર શો-2025 નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2025 આ વખતે 6 ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ50થી વધુ પ્રજાતી તેમજ 30થી વધુ સ્કલ્પચર મુકવામાં આવ્યા છેત્યારે મુખ્યમંત્રીએ આ ફ્લાવર શો નિહાળ્યો હતોઅને અલગ અલગ સ્કલપચર સાથે ફોટો પણ પડાવ્યા હતા. એટલું જ નહીંફ્લાવર શોના ઉદ્ઘાટનની સાથે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી-મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

અહી સામાન્ય દિવસોમાં સવારના 10થી રાતના 10 સુધીના ટિકિટના ભાવ 70 રૂપિયા રાખવામાં આવ્યા છેજ્યારે શનિ-રવિના રજાના દિવસોમાં આ ટિકિટનો ભાવ 100 રૂપિયા રહેશે. તે ઉપરાંત VIP એટલે કેભીડભાડ વગર છુટથી ફ્લાવર શોની મજા માણવી હશેતો આ વર્ષે VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કેસવારે 9થી 10 અને રાત્રે 10થી 11 આ સમય દરમિયાન ફ્લાવર શોને ભીડ વગર નીહાળી શકાશેપરંતુ તે માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે. ફ્લાવર શો-2025ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલઅમદાવાદના મેયર પ્રતિભા જૈનડેપ્યુટી મેયર જતીન પટેલધારાસભ્ય દર્શના વાઘેલાઅમિત શાહઅમિત ઠાકરકૌશિક જૈનદિનેશ કુશવાહજીતુ ભગતસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીશાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિમ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન સહિત મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

દિવાળીની રજાઓમાં બંધ ઘરમાં ચોરીની ઘટનાઓ ન બને તે માટે અમદાવાદ પોલીસે બનાવ્યો માસ્ટર પ્લાન

દિવાળીના પર્વમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ અમદાવાદ ગ્રામ્યના આવતા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે...

New Update
Ahmedabad Police

દિવાળી આવે એટલે ગુજરાતીઓ અલગ અલગ ફરવા દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતીઓ ફરવા જવાનું પસંદ કરે છે. આવામાં દિવાળીના વેકેશનમાં બંધ ઘરના તાળા તોડવાની ઘટનાઓ વધી જાય છે. પરિવારો આવીને જુએ તો ઘરના તાળા તૂટેલા હોય અને ઘરનો સામાન-દાગીનાની ચોરી થતી હોય છે. આવામાં દિવાળીમાં ચોરીની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો છે. 

દિવાળીના પર્વમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ અમદાવાદ ગ્રામ્યના આવતા વિસ્તારો કે જે સ્થળે CCTV ઓછા હોય, અવાવરૂ જગ્યાઓ હોય, ચોરી કે લૂંટનો ડર વધુ હોય તેવા સ્થાનો પર પોલીસ વધુ સતર્ક રહેશે. જે માટે પોલીસ દ્વારા સોસાયટી ચેરમેન, આંગળિયા પેઢીના માલિકો, જ્વેલર્સ અને સિક્યુરિટી એજન્સીને મળી સાથે મિટિંગ કરી ચોરીના બનાવો ન બને તે માટે દિવાળી દરમિયાન સાવચેતી રાખવા બાબતે સૂચનો આપવામાં આવ્યા છે. જ્યાં CCTV ઓછા હોય, લોકોની અવર-જવર ઓછી હોય, ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ સાદા કપડા પહેરીને પેટ્રોલિંગ કરશે, જેથી વધુ નજર રાખી શકાય. આ સાથે જ શો-રૂમની આસપાસ ફરતા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરવામાં આવશે.

Latest Stories