અમદાવાદ : કુરિયરનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી, 3 ઈસમોની ધરપકડ

અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

New Update

અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફિડીક્સ કુરિયરના નામેથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ત્યારે તપાસ કરતાં પોલીસને વિગત મળી હતી કે ફિડિક્સ કુરિયર કંપનીના નામથી ફરિયાદીને ફોન આવ્યો અને મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હતા તેવું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાર્કોટિક્સ વિભાગ તેમના પર કડી કાર્યવાહી કરશે તેમ કહી તમામ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ ફોન પર મંગાવી હતી.ફોન કોલ કર્યા બાદ આરોપીએ ફરિયાદીનાં બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ લીધી હતી અને તેમાંથી 10 લાખની લોન કરાવીને 9 લાખ 76 હજાર પચાવી પાડ્યા હતા.  જે માહીતી મળતા આ આખી ગેંગને સાઇબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યા હતા અને પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આરોપી ઈન્દ્રજીત નેમીચંદ પવાર રાજસ્થાન એકાઉન્ટની વિગત બીજા આરોપી રાહુલ ભગવાનરામ ગેહલોતને મોકલી આપતો હતો. જે Binance એપ્લિકેશનના માધ્યમથી JACK અને BERT નામની ચાઇનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગત મોકલી આપતો હતો. ત્યારબાદ ચાઈનીઝ લોકો કુરિયર કંપની વાળા બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતાં.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.