Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે સરપંચોનું મહાસંમેલન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે સરપંચોનું મહાસંમેલન

X

આગામી તા. 11 અને 12 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પાટીદાર આંદોલનના એપી સેન્ટર રહેલા GMDC ગ્રાઉન્ડ ખાતે સરપંચોના મહાસંમેલન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11 અને 12 માર્ચના રોજ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. તા. 11 માર્ચના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રાજ્યના સરપંચોનું મહાસંમેલન મળવા જય રહ્યું છે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલી પાંખના 2 લાખથી વધુ લોકો હાજર રહેશે, ત્યારે સરપંચોના મહાસંમેલનને લઈને GMDC ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

https://youtu.be/IgQvd7WzpeEઅહી આખા મેદાનમાં ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત અમુક અંતરે ડોમની સાઈડમાં LED સ્ક્રિન પણ લગાડવામાં આવી રહી છે. GMDC ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તના ભાગરૂપે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કોઈ કચાસ રહે નહીં તે પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Next Story