અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે સરપંચોનું મહાસંમેલન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે સરપંચોનું મહાસંમેલન

New Update
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે સરપંચોનું મહાસંમેલન…

આગામી તા. 11 અને 12 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પાટીદાર આંદોલનના એપી સેન્ટર રહેલા GMDC ગ્રાઉન્ડ ખાતે સરપંચોના મહાસંમેલન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11 અને 12 માર્ચના રોજ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. તા. 11 માર્ચના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રાજ્યના સરપંચોનું મહાસંમેલન મળવા જય રહ્યું છે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલી પાંખના 2 લાખથી વધુ લોકો હાજર રહેશે, ત્યારે સરપંચોના મહાસંમેલનને લઈને GMDC ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આખા મેદાનમાં ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત અમુક અંતરે ડોમની સાઈડમાં LED સ્ક્રિન પણ લગાડવામાં આવી રહી છે. GMDC ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તના ભાગરૂપે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કોઈ કચાસ રહે નહીં તે પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.