અમદાવાદ : ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા 36 હજારથી વધુ કેન્સરના દર્દીઓ માટે સ્ક્રિનિંગ હાથ ધરાયું

નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે, આ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે.

New Update
  • ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા અનોખી પહેલ

  • 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું

  • લોકોના સ્ક્રિનિંગ દરમ્યાન કેન્સરના 55 કેસ સામે આવ્યા

  • મહિલાઓને મેમોગ્રાફી-ગર્ભાશયના કેન્સરની મફત તપાસ

  • ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને લેવા અપીલ

નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છેઆ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે. ચાલોજાણીએ કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની આ અનોખી પહેલ વિશે...

કેન્સરનું જો પ્રારંભિક તબક્કે જ જો નિદાન થાય તો દર્દીની બચવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. આ હકીકતને ધ્યાને રાખી અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે કેન્સર સ્ક્રીનીંગ માટે 2021થી ઓપીડીનો આરંભ કર્યો હતો. આ પહેલ હેઠળ આજદિન સુધી 36 હજારથી વધુ દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે કેન્સરના 55 જેટલા દર્દીઓનું વહેલું નિદાન થઈ શક્યું છે. મોઢાસ્તન અને ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત એ છે કેઆ ટેસ્ટિંગ માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે.

જોકેઆ સ્ક્રિનિંગ હેઠળ 40 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખાનગી ક્લિનિકમાં આનો ખર્ચ 5થી 6 હજાર રૂપિયા થાય છે. આ ઉપરાંત OPDમાં મહિલાઓને સ્વ-તપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, GCRIમાં દરરોજ એક હજાર જેટલા કેન્સરના દર્દીઓ આવે છેઅને આ આરોગ્ય સુવિધાનો લાભ મેળવે છે. આ ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને મળે તે માટે GCRI દર વર્ષે 80થી વધુ કેન્સર સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિરનું આયોજન પણ કરે છે. આ શિબિરોમાં 10 હજાર લોકોને રોગની વહેલી તપાસ અને નિવારણ માટેની તાલીમ પણ અપાય છે. આમગુજરાત સરકારની સહાયથી ચાલતી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.