અમદાવાદ : ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા 36 હજારથી વધુ કેન્સરના દર્દીઓ માટે સ્ક્રિનિંગ હાથ ધરાયું

નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે, આ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે.

New Update
  • ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા અનોખી પહેલ

  • 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું

  • લોકોના સ્ક્રિનિંગ દરમ્યાન કેન્સરના 55 કેસ સામે આવ્યા

  • મહિલાઓને મેમોગ્રાફી-ગર્ભાશયના કેન્સરની મફત તપાસ

  • ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને લેવા અપીલ

નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છેઆ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે. ચાલોજાણીએ કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની આ અનોખી પહેલ વિશે...

કેન્સરનું જો પ્રારંભિક તબક્કે જ જો નિદાન થાય તો દર્દીની બચવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. આ હકીકતને ધ્યાને રાખી અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે કેન્સર સ્ક્રીનીંગ માટે 2021થી ઓપીડીનો આરંભ કર્યો હતો. આ પહેલ હેઠળ આજદિન સુધી 36 હજારથી વધુ દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે કેન્સરના 55 જેટલા દર્દીઓનું વહેલું નિદાન થઈ શક્યું છે. મોઢાસ્તન અને ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત એ છે કેઆ ટેસ્ટિંગ માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે.

જોકેઆ સ્ક્રિનિંગ હેઠળ 40 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખાનગી ક્લિનિકમાં આનો ખર્ચ 5થી 6 હજાર રૂપિયા થાય છે. આ ઉપરાંતOPDમાં મહિલાઓને સ્વ-તપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, GCRIમાં દરરોજ એક હજાર જેટલા કેન્સરના દર્દીઓ આવે છેઅને આ આરોગ્ય સુવિધાનો લાભ મેળવે છે. આ ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને મળે તે માટેGCRI દર વર્ષે 80થી વધુ કેન્સર સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિરનું આયોજન પણ કરે છે. આ શિબિરોમાં 10 હજાર લોકોને રોગની વહેલી તપાસ અને નિવારણ માટેની તાલીમ પણ અપાય છે. આમગુજરાત સરકારની સહાયથી ચાલતી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.