Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે ગોતાથી સાયન્સસિટી ફ્લાયઓવર સુધીનો 2.36 કિ.મી. લાંબો એલિવેટેડ કોરિડોર ખુલ્લો મૂક્યો

X

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ગોતા ફલાયઓવરથી સોલા સાયન્સસિટી ફલાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 170 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલિવેટેડ કોરિડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરિડોરથી સોલા ભાગવત, કારગિલ પેટ્રોલ પંપ, જનતાનગર અને ઝાયડસ એમ મહત્ત્વનાં ચાર રોડ જંકશનને સીધો લાભ થશે. થલતેજ અન્ડરપાસથી સોલા રેલવે પુલ સુધી 1.48 કિ.મી. લાંબો ફ્લાયઓવર 27 જૂનથી કાર્યરત છે, હવે તૈયાર થયેલા 2.36 કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરને પરિણામે સળંગ 4.18 કિમી લંબાઈનો ફ્લાયઓવર કાર્યરત થશે.આ ફ્લાયઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્ત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરિડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરિવહનની સુવિધા મળશે. અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે.7 પૈકી 6 ફલાઇઓવર હવે ધમધમતા થઈ ગયા છે, જેથી અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.

Next Story