અમદાવાદ: રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ સજ્જ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

New Update
અમદાવાદ: રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ સજ્જ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સુરક્ષાની સમીક્ષા કરી હતી

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા 1 જુલાઈના રોજ નીકળશે ત્યારે આ રથયાત્રા હેમખેમ પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક્શન મોડમાં છે.આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને અહીં તેમણે રથયાત્રાને લઇ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તો અમદાવાદ પોલીસ વિભાગે પણ રથયાત્રા સુરક્ષાને લઇ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.જેમાં દર્શાવ્યા અનુસાર સંવેદનશીલ વિસ્તારમાં એક અલગ સુરક્ષા કવચ પણ ઉભું કરવામાં આવશે

રથયાત્રામાં 25,000 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જેમા 8 DG/IG, 30 SP,35 ACP, SRP અને CRPF ની 68 કંપનીનો સમાવેશ થાય છે. આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે જેમાં બોડી ઓન કેમેરા,ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે મંદિર અને એએમસી દ્વારા ભક્તોને અને શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે તમામ તૈયારીઓ શરુ કરવામાં આવી છે ત્યારે આજે એએમસીના હોદેદારો મેયર સહીત મંદિરના ટ્રસ્ટી ગણે રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.