અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર પાગલ આશિક પોલીસ ગીરફતમાં,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

New Update
અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર પાગલ આશિક પોલીસ ગીરફતમાં,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જેને લઈને પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisment

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં આવેલ આરોપીનું નામ આશિષ છે. આશિષ મૂળ યુપીના બલિયા જિલ્લાનો રહેવાસી છે અને અમદાવાદમાં નોકરી કરે છે.આરોપીએ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો પરંતુ તેની ચાલાકી કામ ન આવી અને પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે.આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે તે એક મહિલાના એક તરફી પ્રેમમાં હતો અને જેની જાણ મહિલા દિયર ઓમપ્રકાશને થઈ હતી. જેથી ઓમ પ્રકાશ દ્વારા આરોપી આશિષને ધમકી આપવામાં આવી હતી કે તે તેની ભાભીને હેરાન કરવાનું બંધ કરી દે તેથી બદલો લેવા માટે તેણે આવું કર્યું હતું.

પોલીસે તપાસ કરતા મૂળ આરોપી આશિષ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે તેને પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ઓમપ્રકાશ ભાભીને છેલ્લા 1 વર્ષથી એક તરફી પ્રેમ કરતો હતો અને જેને લઇને ઓમપ્રકાશ સાથે તેનો ઝઘડો થયો હતો.20 જાન્યુઆરીના રોજ બલિયાથી અમદાવાદ આવીને રેલવે સ્ટેશન ઉપર પત્ર લખી ઓમપ્રકાશને ફસાવવા માટે મોકલી આપ્યો હતો.

Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment
Latest Stories