અમદાવાદ: સંસારથી સાધુતા તરફ પ્રયાણ 58 નવયુવાનોને મહંતસ્વામીએ આપી દીક્ષા

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી

New Update
અમદાવાદ: સંસારથી સાધુતા તરફ પ્રયાણ 58 નવયુવાનોને મહંતસ્વામીએ આપી દીક્ષા

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં ભાગવતી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજા વિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારતા મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં.ત્યારબાદ 58 નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવા દીક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી અને મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં.