/connect-gujarat/media/post_banners/ed404362f9d2c9ec8283776a33a421231558ce99be0f0109edd14cec1174013f.jpg)
અમદાવાદ માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા મહેશ નવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અમદાવાદ માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા મહેશ નવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવજી અને પાર્વતી માતાની ઝાંકી રજૂ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન રામગોપાલ તોતલા પરિવાર,રાજેન્દ્રકુમાર રાઠી પરિવાર અને મનોજકુમાર રાઠી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું