અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ માટે BJP દ્વારા મંત્ર-અનુષ્ઠાન યજ્ઞ યોજાયો...

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે અમદાવાદ શહેરના ધારાસભ્ય સહિત સાંસદ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ અર્પણ કરી

New Update
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ માટે BJP દ્વારા મંત્ર-અનુષ્ઠાન યજ્ઞ યોજાયો...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે અનુજ પટેલને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ હિંદુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે..ત્યારે અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તાર સ્થિત BJP કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા મંત્ર અનુષ્ઠાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે અમદાવાદ શહેરના ધારાસભ્ય સહિત સાંસદ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ગાયત્રી પૂજામાં શહેરના મેયર, સ્ટેડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories