અમદાવાદ : ખોખરામાં પરિષ્કાર એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, સ્થાનિકોને થયો જીવ સટોસટની પરિસ્થિતિનો અનુભવ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કાર-1 ફ્લેટમાં સી-બ્લોકમાં ચોથા માળ પર બપોરના સમયે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો

New Update
  • ખોખરાના પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં લાગી આગ

  • ભીષણ આગ ફેલાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા

  • ચોથા માળ અને 50 ફૂટ ઉંચેથી મહિલાએ દાખવી હિંમત

  • 2 દીકરીઓને ગજબની હિંમત કરીનીચેઉતારીદેવાય

  • મહિલાપોતે ઉતરવા ગઈ તો ગબડતામાંડરહી ગઈ

  • ફાયર લાશ્કરોની બચાવ કામગીરીકરી જીવ બચાવ્યો

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કાર-1 ફ્લેટમાં સી-બ્લોકમાં ચોથા માળ પર બપોરના સમયે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

જેમાં 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ કાફલો પહોચ્યો હતો. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતાજ્યાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. જોકેઆગમાં ફસાયેલા 18 જેટલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે લાવવામાં આવ્યા હતા. ઉપરાંત ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રક્રિયા હાથ ધરી હતી.

આગ લાગ્યા બાદ ચોથા માળ પરની એક મહિલાએ હિંમત દાખવી હતી. જેમાં તેણીએ પહેલા ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીઓને ઉંચકીને ઉતારી હતી. ત્યારબાદ પોતે પણ લટકી ગઈઅને ગબડતા માંડ માંડ બચી હતી. જોકેઆ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.