Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: તા.21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઊજવણી કરાશે, વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરવામાં આવશે

X

રાજ્ય સરકાર દ્વારા તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૧ ફેબ્રુઆરીએ - વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરાશે.આ અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદના બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં કરવામાં આવશે જેમાં સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકોની શોભાયાત્રા નિકળશે અને ત્યાર બાદ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખકો તેમના વિચારો રજૂ કરશે

Next Story