અમદાવાદ : મૌલાનાએ જ શબ્બીરને કિશનની હત્યા માટે દુષ્પ્રેરણા આપી હોવાનો ખુલાસો

New Update
અમદાવાદ : મૌલાનાએ જ શબ્બીરને કિશનની હત્યા માટે દુષ્પ્રેરણા આપી હોવાનો ખુલાસો

અમદાવાદના ધંધુકામાં કિશન બોળીયા ઉર્ફે કિશન ભરવાડની હત્યા કેસમાં વધુ એક મૌલવીની દીલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દીલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીને અમદાવાદ એટીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યો છે. એટીએસના એસપી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, મૌલાના કમરગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. હત્યાના ષડયંત્રમાં વધુ મૌલવીઓના નામ આવી શકે છે. હત્યા કેસની અત્યાર સુધીની તપાસમાં શબ્બીરને હત્યા માટે મૌલાનાએ દુષ્પ્રેરણા આપી હતી.

અમદાવાદના જમાલપુરના મૌલાના ઐયુબ રાજકોટના ઇસમ સાથે સંપર્કમાં હતાં. આરોપી શબ્બીર મૌલાના કમરગનીને ઇનસ્ટાગ્રામના માધ્યમથી ફોલો કરતો હતો. કિશન તથા અન્ય યુવાનો વિવાદીત પોસ્ટ મુકતાં હોવાથી કટ્ટરવાદી વિચારસરણી ધરાવતાં શબ્બીરે અમદાવાદના જમાલપુરના મૌલાનાનો સંપર્ક કર્યો હતો ત્યારે મૌલાનાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પયંગબરની બાબતમાં કોઇ બોલે તો એક જ ઉપાય છે મોત... આવો જોઇએ વધુ શું કહયું એટીએસના એસપી ઇમ્તિયાઝ શેખે....

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.