અમદાવાદ : “મોહબ્બત સે દે રહા હું”, આ કોડવર્ડ સાથે થતી હતી હથિયારોની ડીલ..!

રાજ્યવ્યાપી હથિયારોનું વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

New Update
અમદાવાદ : “મોહબ્બત સે દે રહા હું”, આ કોડવર્ડ સાથે થતી હતી હથિયારોની ડીલ..!

રાજ્યવ્યાપી હથિયારોનું વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં 12 હથિયારો સાથે હથિયારોના સોદાગર હનીફ બેલીમ સહિત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યવ્યાપી હથિયારોનું વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ કરી 4 આરોપીઓને દબોચી લીધા છે. સાણંદ ચોકડીના શાંતિપુરા સર્કલ નજીક આરોપી હનીફ ઉર્ફે કાળિયો બેલીમ, અસલમ સોલંકી, મોહમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન મલેક હથિયારોને સાથે રાખી ઊભા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેમની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 1 બંદૂક, 9 પિસ્તોલ, 1 દેશી તમંચો, 1 રિવોલ્વર અને 2 જીવતા કારતુસ મળી કુલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આરોપીઓની પૂછપરછ કરતા હનીફ બેલીમ ખેડબ્રહ્મામાં લૂંટ વિથ મર્ડરના ગુન્હાને અંજામ આપી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. આરોપી હનીફ હથિયારો વહેંચવા માટે આવ્યો હતો. આ હથિયાર અસલમ સોલંકી, મહમદખાન ઉર્ફે જામ અને આસિફખાન આ હથિયારો લેવા આવ્યા હતા. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્યવ્યાપી હથિયાર વેચવાનું કૌભાંડ આચરતા હતા. આ તમામ હથિયારોનો સોદો “મોહબ્બત સે દે રહા હું” નામના કોડવર્ડથી કરવામાં આવતો હતો. આ હથિયાર પાટણના મૌલિકસિંઘ બાપુ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો ચારેય આરોપીઓની કડક પૂછપરછ કરી હથિયાર કોને કોને આપવામાં આવ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.