અમદાવાદ : બાવળીયાળી ઠાકર ધામમાં 75 હજારથી વધુ માલધારી બહેનોએ હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ

અમદાવાદ ધોલેરાનાં બાવળીયાળી ગામમાં ભરવાડ સમાજની આસ્થાનું સ્થાન ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થવા નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ધાકરધામની યોજાઈ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા

  • ઠાકરધામના 375 વર્ષ થયા પૂર્ણ

  • ગુજરાતભરમાંથી ઉમટ્યા માલધારી સમાજના ભક્તો

  • 75 હજાર બહેનોએ એક સાથે રમ્યો હુડો રાસ

  • હુડો રાસને મળ્યું વિશ્વ રેકોર્ડમાં સ્થાન 

અમદાવાદ ધોલેરાનાં બાવળીયાળી ગામમાં ભરવાડ સમાજની આસ્થાનું સ્થાન ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થવા નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરવાડ સમાજની 75 હજાર બહેનોએ એક સાથે હુડો રાસ રમીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.

અમદાવાદ ધોલેરાનાં બાવળીયાળી ગામમાં ભરવાડ સમાજની આસ્થાનું સ્થાન ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થવા નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.એક સપ્તાહ સુધી આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી માલધારી ભરવાડ સમાજના 10 લાખથી વધુ ભક્તોએ દર્શન,પ્રસાદ અને જુદા જુદા કાર્યક્રમોનો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે ભરવાડ સમાજની 75 હજાર બહેનોએ એક સાથે હુડો રાસરમીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.

આ મહોત્સવમાં ઘણા કાર્યક્રમો યોજાયા પણ સૌથી મોટોભવ્ય અને યાદગાર કાર્યક્રમ હુડો રાસનો કાર્યક્રમ 20 માર્ચે યોજાયો હતો.આ હુડો રાસમાં ભરવાડ સમાજનાં પાંચ-પચ્ચીસ કે ત્રીસ હજાર નહીં પણ 75 હજાર બહેનો એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસ રમ્યા હતા.આ હુડો રાસને 'વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા'નું સર્ટિફિકેટ મળ્યું હતું.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.