Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી

અમદાવાદના જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ 71 કિલો કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.

X

અમદાવાદના જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ 71 કિલો કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.

અમદાવાદના જમાલપુર ખાતે મુસ્લિમ બિરાદરોએ 71 કિલોની કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.સાથે સાથે ફ્રિ મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બિરાદરોએ જણાવ્યુ હતુ કે નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં હતાં ત્યારથી અહીંયા તેમની ઉંમર જેટલા વજનની કિલોની કેક કાપવામાં આવે છે. તેમના કારણે આજે ગુજરાતમાં શાંતિ જોવા મળી રહી છે. કોઇ પણ સમાજની બહેન-દીકરીઓ આજે રાત્રિના સમયમાં પણ મુક્ત રીતે ફરી શકે છે. આજ ગુજરાતમાં તેમના લીધે છેલ્લા 20 વર્ષથી કફ્યુ જોવા મળ્યો નથી.

Next Story