અમદાવાદ: IPLના લાસ્ટ રાઉન્ડની મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ,પોલીસ પણ એક્ષન મોડમાં

અમદાવાદમાં રમાશે IPLની ફાઇનલ મેચ ક્વોલીફાયર મેચનું પણ આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી

New Update
અમદાવાદ: IPLના લાસ્ટ રાઉન્ડની મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ,પોલીસ પણ એક્ષન મોડમાં

આવતીકાલે IPLની ક્વાર્ટર ફાઇનલ અને ત્યારબાદ IPLની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે ત્યારે આ બન્ને મેચને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

છેલ્લા બે મહિનાથી ચાલનાર ક્રિકેટનો મહાકુંભ આઇપીએલ હવે સમાપન તરફ આગળ વધી રહ્યો છે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ક્વાર્ટર ફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમાશે જેને લઇ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત થયું છે 2022ની સિઝનની ફાઈનલ અને ક્વોલિફાયર મેચ રમાવાની હોવાથી ગ્રાઉન્ડ સ્ટાફ થી લઈ અન્ય સહાયક સ્ટાફ એક્ટિવ મોડમાં આવી ગયો છે.સ્ટેડિયમના ગેટ થી લઇ આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.અમદાવાદ શહેર અને બહારની પોલીસ ફોર્સ મળી લગભગ 10 હજાર જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં તહેનાત રહેશે. અમદાવાદ પોલીસના કેહવા મુજબ સ્ટેડિયમ આખું ભરાઈ જાય તેવી સંભાવના છે તેને લઇ શહેર પોલીસ પણ સજ્જ થઇ છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિંગ ઓફ ફાયર લાઈટિંગથી લઈ અન્ય સુવિધાની ચકાસણી હાથ ધરાઈ રહી છે. ફેન્સના મનોરંજન માટે અહીં સાઉન્ડ સિસ્ટમ અને ગેસ્ટ બોક્સના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.2 નિર્ણાયક મેચ માટે પીચનું નિર્માણ શરૂ થઈ ગયું છે. તો બીજી બાજુ સ્ટેન્ડની સીટોના સેનિટાઈઝિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.તો આઈપીએલના બેનરો પણ લાગી ગયા છે

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories