અમદાવાદ : ધર્માન્તરણ, લવ-જેહાદ સહિતના વિષયો પર મંથન કરવા બજરંગ દળની રાષ્ટ્રીય બેઠકનો પ્રારંભ...

અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે.

New Update
અમદાવાદ : ધર્માન્તરણ, લવ-જેહાદ સહિતના વિષયો પર મંથન કરવા બજરંગ દળની રાષ્ટ્રીય બેઠકનો પ્રારંભ...

અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સંગઠનાત્મક અને દેશમાં ચાલી રહેલા વર્તમાન મુદ્દાઓ પર વિચાર અને ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાષ્ટ્રીય બજરંગ દળના વિસ્તરણ પર મંથન કરવામાં આવશે, તો બેઠકના અંતિમ દિવસે એક ઠરાવ પણ પસાર કરવામાં આવશે.

દેશની મોટી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદને આગામી સમયમાં 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે VHP ભગિની સંસ્થા અને હિંદુત્વના મુદ્દે કાર્યરત બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠક અમદાવાદ ખાતે શરૂ થઈ છે. આ 2 દિવસીય બેઠકમાં ભાગ લેવા બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ ડોનેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ બહારના રાજ્યમાંથી આવેલ 200થી વધુ પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. લવજેહાદ, ધર્માન્તરણ, ઘૂસણખોરી તેમજ દેશની વર્તમાન રાજકીય અને સામાજિક સ્થિતિ પર ચર્ચા કરવામાં માટે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત આવનાર સમયમાં દેશમાં ત્રિશૂલ દીક્ષા અને બજરંગ દળના વિસ્તરણ સાથે વધુમાં વધુ યુવાનો જોડાય તે બાબતે સંગઠન કેવી રીતે મજબૂત કરવું તે મુદ્દે મંથન કરવામાં આવશે. તો બીજી તરફ, બેઠકના અંતિમ દિવસે રાજકીય અને સામાજિક ઠરાવ પસાર કરવામાં આવશે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.