અમદાવાદ: ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ,વ્યાજખોરોથી બચાવવા અપાવશે બેન્ક લોન

પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજી વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો.

New Update
અમદાવાદ: ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ,વ્યાજખોરોથી બચાવવા અપાવશે બેન્ક લોન

અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝંબેશ ઉપાડવામાં આવી છે ત્યારે શહેરના નરોડા પાટિયા હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજી વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો.

Advertisment

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી રહી છે ત્યારે ખાસ નાના વેપારીઓ પોતાના ધંધા રોજગાર માટે વ્યાજે નાણાં લઈને શરૂઆત કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેમાં નાના વેપારીઓ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે, જેને લઈ વેપારીઓને પોતાનો ધંધો રોજગાર બંધ કરી દેવાની નોબત આવતી હોય છે.

આવા કિસ્સા ના બને તે માટે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ અનુસાર તેમજ એસીપી અને પી.આઈ સહિતના પોલીસ સ્ટાફની વચ્ચે લોકોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં માટે પણ કહેવામાં આવ્યું હતું.પોલીસનું પણ કહવું છે કે નાના માણસો વ્યાજના ખપ્પરમાં હોમાઈ નહીં તે અમારી પ્રાથમિકતા છે તો બીજીબાજુ પીએમવાય યોજના હેઠળ એએમસી સાથે સંકલન કરી 10 હજાર સુધીની લોન મળે તે માટે પણ પોલીસ મદદરૂપ બની રહી છે 

Advertisment
Read the Next Article

અમદાવાદના ચંડોળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનનો બીજો તબક્કો થશે શરૂ

ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી

New Update
Chandola LAke

અમદાવાદમાં તારીખ 20 મે થી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisment

અમદાવાદનો ચંડોળા વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કેચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

ડિમોલિશન અંગે શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વિશેષ બેઠક કરવામાં આવી હતી,અને ડિમોલિશન અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisment
Latest Stories