અમદાવાદ:કોસમોસ વેલી જોવા માટે હવે કશ્મીર જવું નહીં પડે, જુઓ ગુજરાતમાં ક્યાં બન્યુ આકર્ષણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં નિર્માણ પામેલ કોસમોસ વેલીnu આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

New Update
અમદાવાદ:કોસમોસ વેલી જોવા માટે હવે કશ્મીર જવું નહીં પડે, જુઓ ગુજરાતમાં ક્યાં બન્યુ આકર્ષણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં નિર્માણ પામેલ કોસમોસ વેલીnu આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Advertisment

કોસમોસ વેલી જોવા માટે હવે અમદાવાદીઓને કાશ્મીર જવુ નહીં પડે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યુ છે. કોર્પોરેશને 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં કોસમોસ વેલી તૈયાર કરી છે.કોસ્મોસ વેલી ગાર્ડનના ઉદઘાટન પ્રસંગમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણ સિંહ રાજપૂત અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે તેમજ AMCના અધિકારીઓ હાજર રહ્યા હતા.કોસ્મોસ વેલી ફ્લાવર ગાર્ડન અમદાવાદનું નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોસમોસ છોડ સિઝનલ ફૂલ એક જ પ્રકારના હોય છે. માત્ર કલર અલગ હોય છે. લોકો ફ્લાવર વેલીનો આનંદ મેળવી શકે તેના માટે આ સીઝનલ ફ્લાવર વેલી બનાવવામાં આવી છે. નાગરિકો માટે આજથી આ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો છે.સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. એક જ જાતના અલગ અલગ કલરના ફૂલોના ફ્લાવર વેલી ગાર્ડનની મજા હવે શહેરીજનો માણી શકશે

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories