/connect-gujarat/media/post_banners/2d92e975f17f541f4ccb4e5af68c47b9758b371ec942ed87b33c5ad490d09922.jpg)
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલ આપત્તિજનક નિવેદન મામલે અમદાવાદમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
યુએનની બેઠકમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક પહોંચેલા બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદીને કસાઈ કહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં બિલાવલ ભુટ્ટોના આ નિવેદન પર રોષ ફાટી નીકળ્યો છે.પ્રધાનમંત્રી મોદી અંગે અણછાજતી ટિપ્પણીથી બિલાવલ ભુટ્ટો સામે દેશભરમાં આજે ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે અમદાવાદ કલેકટર કચેરી ખાતે શહેર ભાજપના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યોએ પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો હતો કાર્યકારોએ પાકિસ્તાન મુર્દાબાદ અને પીએમના અપમાન બદલ પાકિસ્તાન માફી માંગે તેવી નારેબાજી કરી હતી તો સાથે હાથમાં પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ભાજપના ધારાસભ્ય સહિત હોદેદારોએ અમદાવાદ કલેકટરના પ્રતિનિધિને આ બાબતે એક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું તો સાથે જણાવ્યું હતુ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે પીએમ પર ટિપ્પણી કરી તે દુખદ છે પાકિસ્તાન પોતે આતંકને પ્રોત્સાહન કરે છે જો પાકિસ્તાન માફી નહીં માંગે તો ભવિષ્યમાં દેશ જવાબ આપશે