અમદાવાદ: પેટ્રોલના ભાવ ભડકે બળ્યા, પ્રીમિયમ પેટ્રોલે સદી વટાવી

પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ લોકોને દઝાડી રહ્યા છે. અમદાવામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100 પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર

New Update
અમદાવાદ: પેટ્રોલના ભાવ ભડકે બળ્યા, પ્રીમિયમ પેટ્રોલે સદી વટાવી

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100 પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ લોકોને દઝાડી રહ્યા છે..

રાજ્યમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં 27-27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો કરાતા પેટ્રોલમાં 98.30 અને ડીઝલનો ભાવમાં 97 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે. અમદાવાદમા પ્રીમિયમ પેટોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થયો છે. ગયા મહિને કાચા તેલ ના ભાવ 12 ટકા વધીને રેકોર્ડ 74 ડોલર પ્રતિ બેરલ થયા હતા. છેલ્લા 49 દિવસોમાં કિંમતોમાં 28મી વખત વધારો થયો છે.4 મેના બાદ અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 7.1 રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો છે અને સાથે ડીઝલના ભાવમાં પણ 7.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 97.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 88.23 રૂપિયા રહેશે.પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસનું બજેટ પણ ખોરવાઈ જાય છે. જનતા પણ માની રહી છે કે ક્રૂડ ઓઇલમાં જે એકસાઈઝ લગાવવામાં આવી રહી છે તે પેટ્રોલ ડીઝલના ભાવ કરતા પણ ડબલ લેવામાં આવે છે જો તેમાં સબસીડી આપી ભાવ ઘટાડવામાં આવે તો જનતાને ઘણી રાહત મળી શકે છે.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories