અમદાવાદ : દશામાં વિસર્જન અને તાજીયા ઝુલુસ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું...

હિન્દુઓના પવિત્ર મહિનામાં એટલે શ્રાવણ મહિનો. ત્યારથી બધા તહેવારોની શરુઆત થાય છે.

New Update
અમદાવાદ : દશામાં વિસર્જન અને તાજીયા ઝુલુસ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું...

હિન્દુઓના પવિત્ર મહિનામાં એટલે શ્રાવણ મહિનો. ત્યારથી બધા તહેવારોની શરુઆત થાય છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા દશામાં વ્રત અને તાજીયાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તમામ લોકોએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે તહેવારની ઉજવણી કરવાની રહેશે. ઉપરાંત જે લોકો ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના મહામારીને લઈને તમામ પ્રકારના ધાર્મિક ઉજવણી પર અને ઝુલુસ પર પાબંધી રાખવામાં આવી છે, ત્યારે આ વખતે તાજીયા, ગણેશ ચતુર્થી અને દશામાના તહેવાર પાર પણ પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. દશામાની મૂર્તિ નદી કે, તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. તો બીજી બાજુ અમદાવાદમાં ગઈકાલે મોહરમ તાજીયા કમિટી અને પોલીસ બેઠક મળી હતી. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇને આ વર્ષે 19 ઓગસ્ટના મહોરમના દિવસે તાજીયાનું જૂલુસ નહીં કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘર અથવા મેદાનમાં તાજીયા રાખીને જે વિધિ કરવામાં આવતી હોય છે તે કરી શકે છે. પરંતુ તેનું જુલુસ નહીં નીકળી શકે. જે તાજીયાનું ઝુલુસ શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે અને તેમાં મોટી સંખ્યા લોકો જોડાતા હોય છે, ત્યારે કોરોના મહામારીના કારણે બેઠક યોજી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં દશામાં વ્રત દરમ્યાન પણ ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે અનેક તહેવારો પર પ્રતિબંધ મુકવામા આવી રહ્યો છે. એક જાહેરનામું અમદાવાદ પોલીસ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નદી કે, તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, દર વર્ષે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી વિવિધ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જે આ વર્ષે કરવામાં આવશે નહીં.